પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2023 | ડીલેવરી યોજના 2023

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના 2023 ડીલેવરી યોજના | Pradhan Mantri Matru Vandana Yojana Gujarat | PMMVY | મમતા કાર્ડ ના લાભ | સગર્ભા યોજના | માતૃ વંદના યોજના | Pmmvy Helpline Number | ડીલેવરી યોજના

ભારત સરકાર દ્વારા મહિલાઓ માટે ઘણી બધી યોજનાઓ ચાલુ કરેલી છે. જેમાં મહિલાઓને ઘણા બધા લાભ આપવામાં આવે છે. આજે આપણે પ્રધાનમંત્રી માતૃત્વ વંદના યોજના યોજના વિશે વાત કરીશું.

આ યોજના રૂપિયા 6000 ની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના અન્‍વયે, પ્રથમ વખત ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓને આ નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. આ લેખ દ્વારા, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી આપીશું. જેવી કે આ યોજનાના લાભો, પસંદગીની પાત્રતા, વગેરે નીચે સંપૂર્ણ વિગતવાર સમજાવવામાં આવી છે, અને મહિલા અને બાળ વિકાસની યોજના માટે અધિકૃત વેબસાઈટની મુલાકાત લઈ શકો છો. માટે લેખને અંત સુધી વાંચો.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ગુજરાત

ભારત દેશમાં મહિલાઓને જરૂર જેટલો પૌષ્ટિક આહાર મળતો નથી. માતા પોતે જ ભૂખમરાથી પીડિત હોય તો, નબળા શરીરવાળા બાળકને જન્મ આપે છે. અપૂરતા પોષણવાળી સગર્ભા મહિલાઓના ગર્ભમાં વિકસતા શિશુને જરૂરી પોષણ માતા તરફથી મળતું નથી. એના પરિણામે બાળકના શારીરિક વિકાસમાં થઈ શકતો નથી અને ભવિષ્યમાં સુધારી ન શકાય તેવી ખામીઓ રહે છે. અને તેથી કરીને જન્મ સમયે પણ બાળકનું વજન ઓછું રહે છે. ગરીબી અને કુટુંબની આર્થિક અવદશાને કારણે ઘણી મહિલાઓને પ્રસુતિના સમય સુધી કામ કરવું પડે છે.

બાળકના પોષણ માટે જરૂરી માત્રામાં ધાવણ બનતું નથી. એટલે પોતે તથા બાળક બંનેમાં ખૂબ નબળાઈ આવી જાય છે. આના ઉપાય તરીકે ગર્ભવતી મહિલાઓને તેમજ નવજાત શિશુઓના સ્વાસ્થ્યની ચિંતા કરીને, વર્ષ 2013 ના રાષ્ટ્રીય ખાદ્ય સલામતી ધારા અન્વયે ભારત સરકારે પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના શરુ કરી છે, જેનો અમલ દેશના તમામ જિલ્લાઓમાં કરવામાં આવશે.

યોજના નું નામ પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના ગુજરાત
યોજનાનો પ્રકાર કેન્દ્ર સરકારની યોજના
લાભાર્થી ગર્ભવતી મહિલા
લાભ 6000/-
 અધિકૃત વેબસાઈટ https://wcd.gujarat.gov.in/

ક્યારે-ક્યારે મળશે પૈસા ?

યોજના હેઠળ પ્રથમ વખત ગર્ભવતી થવા પર પોષણ માટે ગર્ભવતીના ખાતામાં પાંચ હજાર રૂપિયા આપવામાં આવે છે. 1000 રૂપિયાનો પહેલો હપ્તો ગર્ભધારણના 150 દિવસની અંદર મહિલાની નોંધણી થવા પર આપવામાં આવે છે, જ્યારે બીજો હપ્તો 2000 રૂપિયા 180 દિવસની અંદર અને ઓછામાં ઓછી એક પ્રિનેટલ ચેક અપ થયા પછી આપવામાં આવે છે. જ્યારે, ત્રીજો હપ્તો 2000 રૂપિયાની ડિલિવરી અને શિશુનું પ્રથમ રસીકરણ ચક્ર પૂર્ણ થયા પછી મળે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના લક્ષિત લાભાર્થીઓ

  • 2017 ના જાન્યુઆરીની પહેલી તારીખ પછી, પરિવારમાં પહેલાં બાળકને જન્મ આપનારી તમામ સગર્ભા મહિલાઓને અને ધાવણા બાળકની માતાઓને આ યોજનાનો લાભ અપાશે.
  • લાભાર્થી મહિલાના તબીબી પ્રમાણપત્રમાં દર્શાવેલ માસિક આવ્યાની તારીખ પ્રમાણે ગર્ભાવસ્થાનો કાળ ગણવામાં આવશે.
  • ગર્ભ અધૂરે પડી જાય અથવા મૃત બાળકનો જન્મ થાય તેવા સંજોગોમાં-
  • યોજનાનો ફક્ત એક વખત લાભ મળી શકશે.
  • ગર્ભ પડી ગયો હોય અથવા મૃત બાળકને જન્મ આપ્યો હોય તેવી મહિલાઓને એ પછીની ગર્ભાવસ્થા વખતે યોજનાનો લાભ મળી શકશે.
  • લાભાર્થીને આર્થીક સહાયનો પહેલો હપ્તો મળી ગયો હોય, ત્યારબાદ ગર્ભ પડી જાય તો એ પછીની બીજી ગર્ભાવસ્થા વેળાએ પહેલો હપ્તો બાદ કરીને બાકીના હપ્તાની સહાય અપાશે.
  • એ જ રીતે જેટલા હપ્તા મળ્યા હોય તેટલા બાદ કરીને બાકીના હપ્તાની સહાય મળી શકશે.
  • યોજનાના કોઈ લાભાર્થીને સહાયના બધા જ હપ્તા પ્રસુતિ અગાઉ મળી ગયા હોય.
  • જો મૃત બાળક જન્મે તો બીજી વખતની ગર્ભાવસ્થા વખતે આ સહાય નહી મળે પરંતુ બાળકના જન્મ પછી ધાત્રી મહિલાઓને અપાતી સહાય મેળવવા હકદાર ગણાશે.
  • આંગણવાડી કાર્યકર, આંગણવાડી સહાયક અથવા આશા કાર્યકર બહેનો જો બીજી બધી રીતે લાભાર્થી બનવા યોગ્ય હશે તો તેઓને પ્રધાનમંત્રી માતૃવંદના યોજનાના લાભ મળી શકશે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાના ફાયદાઓ

  • સગર્ભા મહિલાને પ્રસુતિ પૂર્વે અને બાળકના જન્મ પછી તેના શારીરિક વિકાસ માટે ઉપયોગમાં આવે તે હેતુસર કુલ 5 હજાર રૂપિયા ચૂકવવામાં આવશે.
  • આંગણવાડી કેન્દ્ર અથવા સરકારી દવાખાનામાં નોંધણી કરાવનાર ગર્ભવતી મહિલાને નોંધણી સમયે પહેલો હપ્તો રૂ. એક હજાર મળશે.
  • ગર્ભ રહ્યાના છ માસ પછી તબીબી તપાસ કરાવતી વખતે બીજા હપ્તાના 2 હજાર રૂપિયા અપાશે.
  • ત્રીજા હપ્તાના 2 હજાર રૂપિયા બાળકના જન્મ પછી બાળકને બી.સી.જી, ઓરલ પોલીયો વેક્સીન, ડી.પી.ટી અને હિપેટાઈટિસ-બી – આ સર્વ પ્રકારની રસી આપ્યા બાદ ચૂકવવામાં આવશે.
  • દવાખાનામાં સુવાવડ કરાવનાર મહિલાને જનની સુરક્ષા યોજના હેઠળ જો આર્થિક સહાય આપવામાં આવી હશતો એ રકમ ગણતરીમાં લઈને સગર્ભા મહિલાઓને ઉપરની રકમ પ્રોત્સાહન તરીકે અપાશે, જે પ્રધાનમંત્રી માતૃવંદના યોજના અનુસાર અપાય છે, એ કુલ મળીને ૬ હજાર રૂપિયા થશે.

[ફ્લોર મિલ] ઘરઘંટી સહાય યોજના માટે અરજી કરો | Flour Mill Sahay Yojana Gujarat

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માટેના ડોક્યુમેન્ટ

પ્રથમ હપ્તા માટેનાં ડોક્યુમેન્‍ટ

  1. અરજી ફોર્મ A,
  2. બાળક ની મમતાકાર્ડ ખરી નકલ.
  3. માતા નાં આધાર કાર્ડ ની ખરી નકલ.
  4. બેંક અથવા પોસ્ટ ઓફિસ નાં ખાતા ની પાસબુક ની ખરી નકલ.
  5. BPL લાભાર્થી ને BPL નો તલાટી નો દાખલો.
  6. શહેરી વિસ્તાર માટે મહાનગરપાલિકા માંથી BPL નો દાખલો રજૂ કરવો.

બીજા હપ્તા માટેનાં ડોક્યુમેન્‍ટ

  1. અરજી ફોર્મ B.
  2. બાળક નું મમતા કાર્ડ ની ખરી નકલ.

ત્રીજા હપ્તા માટેનાં ડોક્યુમેન્‍ટ

  1. અરજી ફોર્મ C.
  2. બાળક નું મમતાકાર્ડ ની ખરી નકલ.
  3. માતા નું આધાર કાર્ડ અને પિતા નું આધાર કાર્ડ ની ખરી નકલ.
  4. બાળક નાં જન્મ નાં પ્રમાણપત્ર ની ખરી નકલ.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના કેવી રીતે અરજી કરવી?

માતૃ વંદના યોજના અંતર્ગત, કેન્દ્ર સરકારે અરજી પ્રક્રિયા ઓનલાઇન કરી છે. આ યોજના હેઠળ લાભાર્થીઓ જાતે ઓનલાઇન અરજી કરી શકે છે. પ્રધાનમંત્રી માતૃત્વ વંદન યોજના હેઠળ ઓનલાઇન અરજી કરવા માટે, લાભકર્તાએ www.Pmmvy-cas.nic.in પર લોગ ઇન કરીને અરજી કરવાની રહેશે. લોકો ઘરેથી ઇન્ટરનેટ દ્વારા ઓનલાઇન અરજી કરી શકશે. માતૃત્વ વંદન યોજના માટે અરજી કરતી સગર્ભા સ્ત્રીઓ 19 વર્ષની વયથી કાર્યરત ન હોવી જોઈએ.

FAQ : કેટલાક મહત્વના Prasno

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના અધિકૃત વેબસાઈટ કઈ છે?

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનાનો લાભ કોણે મળે?
  • કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર કે જાહેર ક્ષેત્રના એકમોમાં નોકરી કરતી હોય અથવા તો હાલ અમલમાં છે.તેવા ધારા-ધોરણો અનુસાર સહાય મેળવતી હોય, તેવી મહિલાઓ સિવાયની બાકીની તમામ મહિલાઓને ગર્ભાવસ્થા દરમિયાન તેમજ બાળકના જન્મ પછી છ મહિના સુધી આ યોજના હેઠળ વારી લેવાશે.

આ યોજનામાં કેટલા રૂપિયાની સહાય મળે છે?

  • પ્રધાનમંત્રી માતૃ વંદના યોજનામાં રુપિયા 6000/- ની સહાય મળે છે.

પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના માં કેટલા હપ્તામાં સહાય આપવામાં આવે છે?

  • કુલ ત્રણ હપ્તામાં આ યોજના હેઠળ લાભ મળે છે.

Leave a Comment