ટ્રેક્ટર લોન સહાય યોજના | Trector Loan Sahay Yojana Gujarat 2023

ટ્રેકટર લોન યોજના 2023 | Tractor Loan Yojana 2023 : ગુજરાત આદિજાતિ વિકાસ નિગમ દ્વારા વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે. આ નિગમની સ્થાપના વનબંધુઓના કલ્યાણ માટે કરવામાં આવેલ હતી.

ટ્રેક્ટર લોન સહાય યોજના  : જે ગુજરાતના જંગલ વિસ્તારમાં કે રાજ્યમાં કોઈપણ જગ્યાએ વસતા આદિજાતિના નાગરિકોને આત્મનિર્ભર બનવા માટે લોન યોજનાઓ આપવામાં આવે છે. આ આર્ટિકલ દ્વારા અનુસૂચિત જન જાતિના નાગરિકો NSTFDC દ્વારા આપવામાં ટ્રેકટર પર લોન વિશે વિગતવાર માહિતી મેળવીશું. ટ્રેકટર લોન માટે કેવી રીતે એપ્લિકેશન કરવી, તેના માટે ક્યાં-ક્યાં ડોક્યુમેન્ટ જોઈએ વગેરે માહિતી મેળવીશું.

ટ્રેક્ટર લોન સહાય યોજના

National Scheduled Castes Finance and Development Corporate દ્વારા ટ્રેકટર લોન આપવામાં આવશે છે. આ લોન યોજના આદિજાતિના નાગરિકોને આપવામાં આવે છે. ST જ્ઞાતિના નાગરિકોને ખેતી કરવા માટે જરૂરી ટ્રેકટર લેવા માટે Adijati Nigam Gujarat દ્વારા આપવામાં આવે છે. આ યોજનાનો ઉદ્દેશ, કેટલા રૂપિયાની લોન મળે, વ્યાજદર કેટલું ચૂકવવાનું રહેશે વગેરે આ આર્ટિકલના માધ્યમથી મેળવીશું.

ટ્રેક્ટર લોન સહાય યોજના- હાઇલાઇટ્સ

યોજનાનું નામ ટ્રેક્ટર લોન સહાય યોજના
યોજનાનો ઉદેશ અનુસુચિત જનજાતિના ખેડૂતોને સાધનની એટલે ટ્રેક્ટરની ખરીદી આર્થિક મદદરૂપ થવાના હેતુથી લોન સહાય
લાભાર્થી ગુજરાતના અનુસુચિત જનજાતિના લોકો
લોનની રકમ આ યોજના હેઠળ ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે 6 લાખની લોન મળશે
લોન પર વ્યાજદર માત્ર 6% વ્યાજદર લોન પર આપવામાં આવશે.
સત્તાવાર સાઈટ https://adijatinigam.gujarat.gov.in/

યોજનાનો લાભ લેવા માટેની લાયકાત અને પાત્રતા

Adijati Vikas Vibhag Gujarat દ્વારા ટ્રેકટર યોજના હેઠળ લોન આપવામાં આવે છે. આ લોન આપવા માટે અગાઉથી લાયકાત અને પાત્રતા નક્કી કરેલી છે.

  • અરજદાર મૂળ ગુજરાતનો નાગરિક હોવો જોઈએ
  • અરજદાર આદિજાતિનો હોવો જોઈએ
  • અરજદાર પાસે વાહન ચલાવવા અંગેનું પાકું લાયસન્સ ધરાવતો હોવો જોઈએ
  • લાભાર્થીની કુટુંબની વાર્ષિક આવક 120000/- તથા શહેરી વિસ્તાર માટે રૂપિયા 150000/- થી વધુ ન હોવી જોઈએ
  • આ યોજનાનો લાભ માટે ઓનલાઈન અરજી કરવાની હોય છે

ટ્રેક્ટર લોન યોજના હેઠળ મળવાપાત્ર ધિરાણ

Tribal Development Department Gujarat દ્વારા Schedule Tribal ના લોકોને આપવામાં આવે છે. આ યોજના હેઠળ કુલ રૂપિયા 6,00,000/- સુધી લોન આપવામાં આવે છે. જેમાં લાભાર્થીએ કુલ ધિરાણના 5% લેખે લાભાર્થીએ ફાળો આપવાનો હોય છે

આ યોજના માટે મળતી લોનનો વ્યાજદર

આદિજાતિ નિગમ દ્વારા અનુસૂચિત જન જાતિઓને લોન આપવામાં આવે છે. જેના પર વાર્ષિક 6 % ના વ્યાજદર સાથે લોન મળશે.

  • લાભાર્થી દ્વારા લીધેલી લોન 20 ત્રિમાસિક હપ્તામાં વ્યાજ સાથે ભરવાની રહેશે
  • લાભાર્થી દ્વારા મેળવેલ લોન પરત ભરવામાં વિલંબિત થશે તો વધારાના 2.50 % દંડનીય વ્યાજ સાથે ચૂકવવાનું રહેશે.

યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા

Adijati Nigam દ્વારા વિદ્યાર્થીઓને વિદેશમાં અભ્યાસ માટે લોન લેવા માટે નીતિ-નિયમો નક્કી કરેલા છે. આ લોન યોજનાનો લેવા માટે કેટલાક ડોક્યુમેન્‍ટ નિર્ધારિત થયેલા છે જે નીચે મુજબ છે

  • ગુજરાતના અનુસુચિત જન જાતિ અંગેનું પ્રમાણપત્ર (મામલતદારશ્રી / સમાજ કલ્યાણ અધિકારી અથવા સક્ષ્મ અધિકારીશ્રીનો દાખલો)
  • રેશન કાર્ડની નકલ
  • બેંક ખાતાની પાસબુક
  • ઓનલાઈન એપ્લીકેશન અરજી
  • આધાર કાર્ડની નકલ
  • અરજદારે રજૂ કરેલ મિલકતનો પુરાવો (જેમાં જમીનના 7/12 તથા 8-અ અથવા મકાનના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ જે તાજેતરનો તથા બોજા વગરનો
  • જામીનદાર-1 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • જામીનદાર-2 ના 7/12 તથા 8-અ અથવા મકાન ના દસ્તાવેજ અને પ્રોપર્ટી કાર્ડ
  • ધંધાનાં સ્થળ તરીકે દુકાન પોતાની/ભાડાની હોય તો તેની વિગતો જો ભાડાની દુકાન હોય તો ભાડા કરાર
  • જામીનદાર-1 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદાર-2 નો રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ
  • જામીનદારોએ રૂ. 20/- ના સ્ટેમ્પ પેપર પર એફીડેવીટ કરેલ સોંગંદનામું
  • નિયત થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ
  • રજુ કરેલ મિલકત અંગેના સરકાર માન્ય વેલ્યુઅર વેલ્યુએશન રિપોર્ટ

ikhedut Portal : બાગાયતી ખેતી માટે 60 થી વધુ વિવિધ કલ્યાણકારી યોજનાઓ

મહત્વપૂર્ણ લિંક

સત્તાવાર સાઈટ Click Here

Leave a Comment